દિવાળીને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. જેને લઈને રાજ્યની તમામ યુનિવર્સિટી અને કોલેજોમાં દિવાળી વેકેશન વધારવા મા આવ્યું છે. હવે 13 દિવસના બદલે પૂરા 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને આ અંગેની જાહેરાત કરી હતી. અધ્યાપક મંડળોની રજૂઆત શિક્ષણ વિભાગે દિવાળી વેકેશન લંબાવવાનો નિર્ણય કર્યો છે.
ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા ૨ વર્ષથી ચાલી આવેલ ૧૩ દિવસનું દિવાળી વેકેશન હિન્દુ ધર્મ માટે સૌથી મોટો પારિવારિક તહેવાર હોવાથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવે છે.
— Jitu Vaghani (@jitu_vaghani) October 26, 2021
કોરોના મહામારીને કારણે 2 વર્ષથી માત્ર 13 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવતું હતું. જે આ વર્ષે હવે ફરી 21 દિવસનું કરવામાં આવ્યું છે. કોરોના ઘટતા માનસિક રીતે પણ હવે સૌ સ્વસ્થ થઇ રહ્યા છે. ત્યારે કોલેજોમાં ભણાવતા પ્રોફેસરો માટે આ રાહતના સમાચાર છે.