કેબિનેટ નિમણૂક સમિતિએ ગુરુવારે મોડી રાત્રે આ નિર્ણયને મંજૂરી આપી હતી. શક્તિકાંત દાસ અગાઉ નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોના સચિવ હતા. તેમને 11 ડિસેમ્બર, 2018 ના રોજ ત્રણ વર્ષના સમયગાળા માટે સેન્ટ્રલ બેંક RBIના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા શક્તિકાંત દાસ(The re-appointment of the RBI governor)નો કાર્યકાળ વધારવાનો નિર્ણય લીધો છે.
ગુરુવારે મોડી રાત્રે કેબિનેટ નિમણૂક સમિતિએ તેને મંજૂરી આપી હતી. સરકારે શુક્રવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવ્યો છે. તેમની પુનઃનિયુક્તિ 10 ડિસેમ્બરથી અથવા પછીના આદેશ સુધી બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી અમલમાં રહેશે.
શક્તિકાંત દાસ મૂળ ઓડિશાના છે અને તેનો જન્મ 26 ફેબ્રુઆરી 1957ના રોજ ભુવનેશ્વરમાં થયો હતો. તેઓ 1980 બેચના તમિલનાડુ કેડરના IAS અધિકારી છે. તેઓ નાણાપંચના સભ્ય પણ રહી ચૂક્યા છે. શક્તિકાંત દાસ એક એવી વ્યક્તિ તરીકે ઓળખાય છે જે જટિલ મુદ્દાઓ પર સર્વસંમતિ બાંધવામાં માને છે. શક્તિકાંત દાસને શાસનના વિવિધ ક્ષેત્રોમાં બહોળો અનુભવ છે અને તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં નાણાં, કર, ઉદ્યોગ વગેરે ક્ષેત્રોમાં મુખ્ય હોદ્દા પર રહ્યા છે.