અમદાવાદમાં સ્ટેમ્પ વિભાગની કચેરીમાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે અધિકારીઓ વિરૂદ્ધ પુરાવા મળતા જ મહેસૂલ પ્રધાન એક્શનમાં

અમદાવાદમાં સ્ટેમ્પ વિભાગની કચેરીમાં કથિત ભ્રષ્ટાચારનો મુદ્દે અધિકારીઓ વિરૂદ્ધ પુરાવા મળતા જ મહેસૂલ પ્રધાન એક્શનમાં આવ્યા છે. સ્ટેમ્પ ડ્યુટી વિભાગની કચેરીમાં કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ અચાનક પહોચી સરકારી કચેરીના કર્મચારીઓની પુછપરછ કરી હતી. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, મોડી સાંજ સુધીમાં દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી થશે. તે ઉપરાંત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુંકે કે પંકજ શાહ નામનો વચેટિયો ટેબલ નાખીને બેસતો હતો તે ઉપરાંત તેમણે જણાવ્યુકે  “અધિકારીની મંજૂરી વગર પંકજ શાહ કચેરીમાં બેસી શકે નહીં, પંકજ શાહે લાભાર્થી પાસે લાંચ સ્વરૂપે ૭૦૦૦ માગ્યા હતા” સરકારી કચેરીઓમાં જરાય ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાય તેમ પણ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.

મહેસૂલ વિભાગની કચેરીની અચાનક મુલાકાત બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ હુંકાર કર્યો કે સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારને ચલાવી નહીં લેવાય. સાથે જ ભ્રષ્ટાચારની ફરિયાદના કેસમાં તપાસ બાદ કાર્યવાહી કરવાની પણ તેઓએ વાત કરી છે.જોકે એક બાજુ પ્રધાન અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ મુકીને કાર્યવાહીની વાત કરી રહ્યા છે. તો બીજી બાજુ જેના પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે તે નાયબ કલેક્ટર કે.કે.શાહ પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવી રહ્યા છે. અને ઘટના અંગે તેમને કોઇ જ જાણ ન હોવાની વાત કરી રહ્યા છે.

અગાઉ સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીમાં હાઇકોર્ટના વકીલે સ્ટિંગ ઓપરેશન કર્યુ. અને સરકારી કર્મચારી દ્વારા લાંચ માગતી ઓડિયો ક્લિપ વાયરલ કરીને ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આરોપ લગાવ્યો હતો. દીપેન દવેનો આરોપ હતો કે ડેપ્યુટી કલેક્ટર કે.કે.શાહ તેમના મળતીયા દ્વારા દસ્તાવેજના કામો માટે ભ્રષ્ટાચાર આચરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *