ACBનું 2021નું સરવૈયું; 173 કેસ, 56 કરોડની અપ્રમાણસર મિલકત જપ્ત

વર્ષ 2021માં રાજ્યમાં ACB દ્વારા 173 કેસ નોંધાયા છે. જેમાં 122 અધિકારી-કર્મચારીઓ જાળમાં ફસાઈ ગયા છે. 11 કેસમાં કરોડોની સંપત્તિ અધિકારીઓની કાયદેસરની આવક કરતાં અપ્રમાણસર હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ 2021 દરમિયાન ગૃહ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ સામે 74 કેસ નોંધાયા છે. બીજા ક્રમે પંચાયત વિભાગના અધિકારીઓ સામે 48 અને બીજા ક્રમે 45 કેસ નોંધાયા છે.

ACBએ વચેટિયા અને ટાઉટ સહિત 287 ખાનગી વ્યક્તિઓની ધરપકડ કરી છે…ACBના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, એસીબીએ 318 કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે…સરકારી અધિકારીઓ સામેની 3939 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે…દોષિત ઠેરવવાનો દર 40 ટકાથી વધીને 43 ટકા થયો છે.

11 કેસમાં અધિકારીઓની કાયદેસરની આવક કરતાં કરોડો રૂપિયા વધુની સંપત્તિ મળી આવી હતી. અપ્રમાણસર સંપત્તિના 1121 કેસમાં ભ્રષ્ટ અધિકારીઓની રૂ. 56 કરોડની મિલકતો શોધી કાઢવામાં આવી છે. જ્યારે ગત વર્ષે એસીબીને 50 કરોડની સંપત્તિ મળી હતી. ગાંધીનગરમાં એસીબીએ સર્વ શિક્ષા અભિયાનમાં ફરજ પરના સ્ટેટ પ્રોજેક્ટ એન્જિનિયર વર્ગ-2 સામે ગુનો નોંધીને રૂ. 2.27 કરોડની રોકડ જપ્ત કરી છે.

આણંદ એસીબીએ અમદાવાદ રેન્જ આરઆર સેલના એએસઆઈ પ્રકાશસિંહ રાવ પાસેથી છટકું ગોઠવીને 50 લાખની રોકડ જપ્ત કરી હતી. તેવી જ રીતે અમદાવાદ જિલ્લાના ધોળકાના મામલતદાર હાર્દિક મોતીભાઈ સામે 25 લાખની લાંચ લેવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ગાંધીનગરના કલોલમાં ઈ-ધારાના નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે રૂ. 30 કરોડથી વધુની સંપત્તિ ધરાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. પંચમહાલમાં મનરેગા યોજના સાથે સંકળાયેલા હેમંત પ્રજાપતિ, કીર્તિપાલસિંહ સોલંકી, ઝરીના વસીમ અંસારી અને રિયાઝ રફીકભાઈ મન્સૂરી સામે રૂ.2.45 લાખની લાંચ લેવા બદલ ગુનો નોંધાયો છે. દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભટેરિયા 3 લાખની લાંચ લેતા ઝડપાયા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *