વિરાટ કોહલીની ૧૦૦મી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત

મોહાલીમાં રમાયેલી શ્રીલંકા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે. ભારતે ટેસ્ટના ત્રીજા દિવસે શ્રીલંકાને એક ઇનિંગ્સ અને ૨૨૨ રનથી હરાવ્યું હતું. આ સાથે ભારત આ શ્રેણીમાં ૧-૦ થી આગળ થઈ ગયું છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો સ્ટાર સાબિત થયો હતો.

જેણે બેટિંગ કરતા પહેલા દાવમાં ૧૭૫ રન બનાવ્યા હતા સાથે જ મેચમાં ૯ વિકેટ પણ લીધી હતી. રવિન્દ્ર જાડેજાને તેની શાનદાર રમત માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલીની કારકિર્દીની આ ૧૦૦મી ટેસ્ટ મેચ હતી, જેમાં ભારતે આ શાનદાર જીત મેળવી છે.

ટીમ ઈન્ડિયાએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને શ્રીલંકાની ટીમ ભારતના સ્પિનરો સામે ટકી શકી નહીં. પ્રથમ દાવમાં શ્રીલંકા માત્ર ૧૭૪ રન જ બનાવી શકી હતી. ભારત તરફથી પ્રથમ દાવમાં રવિન્દ્ર જાડેજાએ ૫ વિકેટ લીધી હતી જ્યારે જસપ્રિત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિનને ૨-૨ વિકેટ મળી હતી. શ્રીલંકા માટે પ્રથમ દાવમાં માત્ર પથુમ નિસાંકા ૬૨ રન બનાવી શક્યો, બાકીના બેટ્સમેનો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *