ઈપીએફઓએ આગામી નાણાંકીય વર્ષ માટે પીએફના વ્યાજદરમાં ઘટાડો

દેશના કરોડો પગારદારો અને પેન્શનધારકોને ઈપીએફઓએ શનિવારે ઝટકો આપ્યો છે. ઈપીએફઓએ આગામી નાણાંકીય વર્ષ માટે પીએફના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે.

૨૦૨૧-૨૨માટે પીએફ પર વ્યાજદર ઘટાડીને ૮.૧% કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત વર્ષના ૮.૫%થી વ્યાજદર ઘટાડીને ૮.૧% કરતા પીએફ ધારકોને છેલ્લા ૪૦ વર્ષમાં સૌથી ઓછું વ્યાજ મળશે.

ઈપીએફઓના આ નિર્ણયથી દેશના અંદાજે ૬ કરોડથી વધુ લોકોને ફટકો પડશે. સીબીડીટીના એક અધિકારીએ જણાવ્યું કે બોર્ડ દ્વારા ઈપીએફ વ્યાજદર ૮.૧% નક્કી કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વ્યાજદર છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી ઓછો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૮% કે ૮.૧%નો વ્યાજદર ૧૯૭૭-૭૮ના તળિયે પહોંચ્યો છે. ત્યારે પણ વ્યાજદનો દર ૮% હતો.

ઈપીએફઓ ટ્રસ્ટી દ્વારા વ્યાજદર નક્કી કર્યા બાદ અંતિમ નિર્ણય નાણામંત્રાલયને મોકલવામાં આવશે અને સરકાર તેના પર અંતિમ નિર્ણય કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *