ખાદ્યતેલ ભડકે બળી રહ્યું છે. છેલ્લા ૧૦ દિવસમાં સીંગતેલમાં ૭૫ રૂપિયા વધીને એક ડબ્બાનો ભાવ ૨૭૨૫ રૂપિયા થયો છે.
તેમજ કપાસિયા તેલમાં ૫૦ રૂપિયાનો ભાવ વધતા એક ડબ્બાનો ભાવ ૨૭૨૫ રૂપિયાએ આંબી ગયો છે.
પામોલીન તેલમાં ૫૦ રૂપિયાના ભાવવધારો થતો ૨૪૭૦ રૂપિયાએ એક ડબ્બો મળી રહ્યો છે.
સીંગતેલ અને કપાસિયા તેલના ભાવવધારા પાછળ એકમાત્ર કારણ માર્કેટમાં કપાસ અને મગફળીની અછત.
સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિયેશન ના પ્રમુખ કિશોર વિરડીયાએ જણાવ્યા પ્રમાણે છેલ્લા ૧૦ દિવસથી સીંગતેલ, કપાસિયા તેલ અને ઇમ્પોર્ટ તેલની અંદર તેજી આવી છે. સીંગતેલમાં ૨૬૫૦ રૂપિયાથી વધીને ૨૭૨૫ રૂપિયા થયા છે. કપાસિયા તેલમાં પણ સીંગતેલ પણ સમકક્ષ ૨૭૨૫ રૂપિયા ભાવ છે. જેમાં ૫૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. બંનેના સમકક્ષ ભાવનું એક જ કારણ છે કે, ઇમ્પોર્ટમાં તેજી આવી છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં મગફળીની આવક અને પીલાણ ઓછું છે.
મગફળી ન મળતી હોવાથી મિલો બંધ છે. બીજી તપ સીંગતેલની માગ ઘટી છે. અને હવે આગામી ચોમાસાને આડે હવે બે મહિના બાકી હોય ખેડૂતો પણ માર્કેટમાં મગફળીનું બિયારણ લેવા નીકળ્યા છે. આથી ખાસ કરીને સરકારને વિનંતી છે કે, જે ખેડૂતો પાસેથી આપણે ૧૧૧૦ રૂપિયામાં મગફળી ખરીદી હતી તે દરેક ખેડૂતોને બિયારણરૂપે મગફળી તે જ ભાવમાં પરત આપે. જેથી કરીને આવતા વર્ષની અંદર મગફળીનું વાવેતર ઘટશે. અત્યારે તો એવું અનુમાન છે કે, ગત સીઝન કરતા આગામી સીઝનમાં ૫૦ % જ મગફળીનું વાવતેર થશે. હાલ કપાસના ભાવ ખૂબ ઊંચા છે તો ખેડૂતો મગફળીનું વાવેતર ઘટાડી કપાસનું વાવેતર વધારશે.