દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સપો-૨૦૨૨નું ઉદ્ધાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ૧૦:૩૦ વાગ્યે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સ્પો – ૨૦૨૨નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સંબોધન પણ કરશે.

બાયોટેક સ્ટાર્ટઅપ એક્સ્પો – ૨૦૨૨નું ૯ મી અને ૧૦ મી જૂન એમ બે દિવસ આયોજન કરવામાં આવ્યું છે. તેનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી અને બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (BIRAC) દ્વારા કરવામાં આવી રહ્યું છે. BIRACની સ્થાપનાના ૧૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું છે. એક્સ્પોની થીમ ‘બાયોટેક સ્ટાર્ટઅપ ઈનોવેશન્સઃ ટુવર્ડ્સ આત્મનિર્ભર ભારત’ છે.

 

આ એક્સ્પો ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, ઉદ્યોગના અગ્રણીઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો, બાયો-ઇન્ક્યુબેટર્સ, ઉત્પાદકો, નિયમનકારો, સરકારી અધિકારીઓ વગેરેને જોડવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. એક્સ્પોમાં લગભગ ૩૦૦ સ્ટોલ ઉભા કરવામાં આવશે, જેમાં આરોગ્યસંભાળ, જીનોમિક્સ, બાયોફાર્મા, કૃષિ, ઔદ્યોગિક બાયોટેકનોલોજી, વેસ્ટ-ટુ-વેલ્યુ, સ્વચ્છ ઊર્જા જેવા વિવિધ ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીની ઉપયોગિતાનું પ્રદર્શન કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *