પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી છે. તેમણે આગામી ૧.૫ વર્ષમાં સરકાર દ્વારા મિશન મોડમાં ૧૦ લાખ લોકોની ભરતી કરવાની સૂચના પણ આપી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું; “PM @narendramodi એ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી અને સૂચના આપી કે સરકાર દ્વારા આગામી ૧.૫ વર્ષમાં મિશન મોડમાં ૧૦ લાખ લોકોની ભરતી કરવામાં આવે.”