ગુજરાત ચૂંટણી: કોંગ્રેસ પાર્ટીની મોટી જાહેરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. તમામ રાજકીય પાર્ટીઓ આ માટે કામે લાગી ગઈ છે, ત્યારે હવે કોંગ્રેસ પાર્ટીએ પણ મોટી જાહેરાત કરી છે.

 

હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પર્યવેક્ષક (નિરીક્ષક)ની જાહેરાત કરી દીધી છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુજરાતમાં વરિષ્ઠ પર્યવેક્ષક રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતને બનાવ્યા છે. તો વળી સાથે બે નિરીક્ષક પણ નિમણૂંક કર્યા છે. તેમાં છત્તીસગઢના મંત્રી ટીએસ સિંહ દેવ અને મહારાષ્ટ્રના નેતા મિલિંદ દેવડાનું નામ સામેલ છે.

 

તો વળી હિમાચલ પ્રદેશમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને વરિષ્ઠ પર્યવેક્ષક અને સાથે સાથે રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ અને પંજાબના વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાઝવાને પર્યવેક્ષક બનાવ્યા છે.

ગહેલોતે ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સારામાં સારુ પ્રદર્શન કર્યું હતું. બંને રાજ્યોમાં આગામી અમુક મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તેના માટે પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત અને હિમાચલમાં હાલમાં ભાજપ સત્તામાં છે. બંને રાજ્યોમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ સતત કેમ્પેઈન કરી રહી છે. ત્યારે આવા સમયે કોંગ્રેસની સામે સૌથી મોટો પડકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *