પીએમ નરેન્દ્ર મોદી આજથી ૨ દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. તેઓ અમદાવાદ, કચ્છ અને ગાંધીનગરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

આજે બપોરે પીએમ  મોદી અમદાવાદ આવી પહોંચશે. તેઓ એરપોર્ટથી પીએમ મોદી રાજભવન જશે. સાંજે રિવરફ્રન્ટે યોજાનારા ખાદી ઉત્સવમાં ઉપસ્થિત રહેશે. મનપાએ તૈયાર કરેલ ફૂટ ઓવરબ્રિજનું તેઓ લોકાર્પણ કરશે.

પીએમ મોદી આજે સાંજે અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધશે. તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. જ્યારે આવતીકાલે ૨૮ ઓગસ્ટના રોજ પીએમ મોદી કચ્છના પ્રવાસે જશે. જ્યાં તેઓ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. કચ્છ જિલ્લાને અનેક વિકાસ યોજનાઓની પીએમ મોદી ભેટ આપશે.

કચ્છ-ભુજ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલનું લોકાર્પણ કરશે. પીએમ મોદી ૧,૭૪૫ કરોડના ખર્ચે ૩૭૫ કિમી લાંબી કેનાલનું લોકાર્પણ કરશે. જેના લીધે કેનાલથી ૯૪૮ ગામ અને ૧૦ શહેરોને પાણીનો લાભ મળશે. ૨૮ ઓગસ્ટના રોજ પીએમ મોદી ગાંધીનગર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મારૂતિ સુઝુકી કંપનીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. જ્યારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે.

PM મોદીનો આજનો સંપૂર્ણ કાર્યક્રમ

  • તા.૨૭ ઓગષ્ટના રોજ આજે બપોરે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે.
  • સાંજે ૦૫:૦૦ વાગ્યે ખાદી ઉત્સવ રિવરફ્રન્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
  • સાંજે ૦૭:૦૦ કલાકે સભા સ્થળેથી રાજભવન જવા રવાના થશે.
  • કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રીશ્રી રાજભવન, ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે.
  • તા. ૨૮ ઓગષ્ટ ૨૦૨૨ રવિવારે સવારે ૧૦:૦૦ કલાકે કચ્છના ભુજ ખાતે નિર્માણ કરાયેલા ‘સ્મૃતિ વન મેમોરિયલ’ની મુલાકાત લઈ તેનું ઉદઘાટન કરશે.
  • સવારે ૧૧:૩૦ કલાકે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા-KSKV યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ભુજ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનસંબોધન કરશે.
  • બપોરે ૧૨.૦૦ કલાકે ભુજથી વિવિધ વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તેમજ તૈયાર પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરીને રાજભવન, ગાંધીનગર પરત ફરશે.
  • મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સાંજે ૦૫.૦૦ કલાકે યોજાનાર ‘ભારતમાં સુઝુકીના ૪૦ વર્ષ’ સ્મૃતિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે.
  • અંદાજે સાંજે ૦૬.૪૦ કલાકે દિલ્હી જવા રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *