ગુજરાત ઇલેક્શન: કડવા પાટીદાર સમાજના સંમેલનમાં ઉઠ્યો ચૂંટણી ટિકિટનો સૂર

કડવા પાટીદારના આગેવાન વાલજીભાઈ ફળદુએ કહ્યું કે, ‘રાજકીય પક્ષો સમાજની સંખ્યા પ્રમાણે ટિકિટ આપે. અમે કહેશું તેમ નહીં થાય તો તાકાત બતાવીશું.’ જ્યારે અન્ય આગેવાન જેરામભાઈ પટેલે કહ્યું કે:  ‘આ સામાજિક સંમેલન છે. સમાજની એકતા, સમાજનું સંગઠન અને ભાઇચારો વધે એના માટેનું આજનું અમારું આ આયોજન છે. સ્વાભાવિક છે કે ચૂંટણી નજીક આવી રહી છે. એટલે લોકો બધાય વિચારે તો પણ અમને એમાં કંઇ વાંધો નથી. ટિકિટની વાત છે ત્યારે અમે બધા જ પક્ષો સામે માંગણી કરી છે કે વધારેમાં વધારે બધા જ પક્ષો ચાહે કોઇ પણ હોય તે અમને ટિકિટ આપે. પાટીદાર સમાજ આજે બિઝનેસમાં ખૂબ જ આગળ છે. એટલે અમારી જેટલી ટકાવારી છે એટલા જ અમારા કારખાનામાં બીજા સમાજના માણસો કામ કરે છે. એટલે અમે બધાને વિનંતી કરી છે કે વધારેમાં વધારે ટિકિટ દરેક પક્ષો અમને આપે તો ચોક્કસ અમે એમને ન્યાય અપાવીશું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *