દીપાવલી અને નૂતનવર્ષના પાવન પર્વે રાજ્યના નાગરિકોને રાજ્યપાલે હાર્દિક શુભકામના પાઠવી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રકાશપર્વ દીપાવલી અને નૂતન વર્ષના પાવન અવસરે રાજ્યના નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

રાજ્યપાલે શુભકામના સંદેશમાં જણાવ્યું છે કે, દીપાવલીનું આ પાવન પર્વ સમાજમાં સુખ – શાંતિ અને સમૃદ્ધિ લાવનારૂં પ્રકાશપર્વ બની રહેશે. રાજ્યપાલે દીપાવલી તહેવારોના મંગલ અવસરે કામના કરી છે કે, નવી આશાઓ અને સકારાત્મક જીવનની ઉર્જા સાથે આ નવું વર્ષ સમાજમાં પ્રેમ – શાંતિ અને પરસ્પર સંવાદિતાને વધુ મજબૂત બનાવશે તેમજ રાષ્ટ્ર અને રાજ્યને વિકાસના નવા શિખરો સર કરાવનારું બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *