ભારત અને ફ્રાંસ વચ્ચે ચોથા ચરણની સંરક્ષણ મંત્રણા આજે દિલ્હીમાં યોજાશે

ભારત અને ફ્રાંસ વચ્ચે ચોથા દોરની સંરક્ષણ મંત્રણા આજે દિલ્હીમાં યોજાશે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ભારતની મુલાકાતે આવેલા ફ્રાંસના મંત્રી સેબેસ્ટીયન લેકોર્ન્યુ આજની મંત્રણામાં આતંકવાદનો વિરોધ હિંદ-પ્રશાંત વિસ્તારમાં દરિયાઈ સલામતી અને ઔદ્યોગિક નીતિ સહિત વિવિધ મુદ્દાઓ અંગે સઘન ચર્ચા – વિચારણા કરશે. ભારત ખાતેના ફ્રાન્સના રાજદૂતાવાસે જણાવ્યું છે કે, સેબેસ્ટીયન વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરને મળીને આંતરરાષ્ટ્રીય અને પરસ્પર હિતને લગતા મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરશે. તેઓ રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલને પણ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *