ગત માર્ચ ૨૦૨૦ થી ઈ – વિઝાની સુવિધા બંધ કરાઈ હતી.
ભારતે ઈંગ્લેન્ડથી ભારત આવતા નાગરિકો માટે ઈ – વિઝા સુવિધા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
ઈંગ્લેન્ડ ખાતેના ભારતીય હાઈ કમિશનર વી.કે.દોરાઈ સ્વામીએ જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં ગત માર્ચ ૨૦૨૦ થી ઈ – વિઝાની સુવિધા બંધ કરાઈ હતી.
આ સુવિધા ફરીથી શરૂ કરવાની નવી તારીખોની જાહેરાત ટુંક સમયમાં કરાશે. આ સુવિધાના કારણે ભારત આવનાર ઈંગ્લેન્ડના નાગરિકો સરળતાથી ભારત આવી શકશે.