નવા મંત્રીમંડળ માટે ૧૨ ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ૫૩ % વોટ શેર સાથે વિક્રમી ૧૫૬ બેઠકો મેળવી છે. ત્યારે ગાંધીનગરમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને રાજીનામું આપ્યું છે. સાથે તેમની કેબિનેટનું પણ રાજીનામું આપ્યું છે, નવા મંત્રી મંડળ માટે ૧૨ ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે.

ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધી કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શપથવિધી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ માટે ૩ સતેજ બનાવવામાં આવશે. જેમાં એક સ્ટેજ પર શપથવિધિ થશે જયારે અન્ય બે સ્ટેજ પૈકી એકમાં ભાજપના કેન્દ્રીય નેતાઓ અને એક સ્ટેજ પર સંતો મહંતો હાજર રહેશે. ૧૨ ડિસેમ્બરે બપોરે ૦૨:૦૦ વાગે યોજનારા શપથવિધી કાર્યક્રમ અગાઉ હવે નવી સરકારના મંત્રીમંડળમાં કોને કોને સામેલ કરવામાં આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *