ન્યાયમૂર્તિ દિપાંકર દત્તાએ સુપ્રિમકોર્ટના ન્યાયાધીશ તરીકે હોદાના શપથ લીધી હતાં.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડે ન્યાયમૂર્તિ દિપાંકર દત્તાને શપથ લેવડાવ્યાં હતાં. ન્યાયમૂર્તિ દિપાંકર દત્તાને સુપ્રિમકોર્ટના કોર્ટરૂમમા શપથ લેવડાવ્યાં હતાં.
ન્યાયમૂર્તિ દત્તાને શપથ લેવડાવ્યાં બાદ સુપ્રિમકોર્ટમાં ન્યાયાધીશની સંખ્યા ૨૮ થઇ છે. સુપ્રિમકોર્ટમાં ન્યાયાધીશના મંજૂર પદની સંખ્યા 34 છે.