રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ “રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ” નિમિત્તે “રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર” અર્પણ કર્યા

ભારતીય રેલ્વેને ૯ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારો – ૨૦૨૨ પ્રાપ્ત થયા

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ​ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારો, રાષ્ટ્રીય ઉર્જા કાર્યક્ષમતા ઈનોવેશન એવોર્ડ્સ અને રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા પુરસ્કારો અર્પણ કર્યા. આ પ્રસંગે ભારતીય રેલ્વેને વર્ષ ૨૦૨૨ માટે ૯ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારો પ્રાપ્ત થયા. નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય ઉર્જા મંત્રાલયના નેજા હેઠળ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારો વર્ષ ૨૦૨૨ દરમિયાન શ્રેષ્ઠ ઉર્જા વ્યવસ્થાપન માટે જાહેર કરવામાં આવ્યા હતા.

સાઉથ સેન્ટ્રલ રેલ્વેને રેલ્વે સ્ટેશન કેટેગરીમાં ઉર્જા સંરક્ષણ પગલાં માટે પ્રથમ અને બીજું ઇનામ મળ્યું. પ્રથમ ઇનામ કાચેગુડા સ્ટેશનને આપવામાં આવ્યું હતું જ્યારે બીજું ઇનામ ગુંટકલ રેલવે સ્ટેશનને મળ્યું હતું. કાનપુર સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન ( ઉત્તર સેન્ટ્રલ રેલ્વે ), રાજામુદ્રી રેલ્વે સ્ટેશન ( દક્ષિણ સેન્ટ્રલ રેલ્વે ) અને તેનાલી રેલ્વે સ્ટેશન ( દક્ષિણ સેન્ટ્રલ રેલ્વે )ને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

બિલ્ડિંગ કેટેગરીમાં નોર્થ વેસ્ટર્ન રેલ્વેના અજમેર વર્કશોપને પ્રથમ ઇનામ આપવામાં આવ્યું હતું. રેલ્વે હોસ્પિટલ, ગુંટકલ ( દક્ષિણ મધ્ય રેલ્વે ), ઇલેક્ટ્રિક ટ્રેક્શન ટ્રેનિંગ સેન્ટર વિજયવાડા ( દક્ષિણ મધ્ય રેલ્વે ) અને ડિવિઝનલ રેલ્વે હોસ્પિટલ, પ્રતાપનગર ( પશ્ચિમ રેલ્વે ) ને મેરિટ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *