ચીનમાં કોરોના વિસ્ફોટની વચ્ચે સરકાર ભારતમાં કોવિડ – ૧૯ ની પરિસ્થિત પર સાવચેતી રાખી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમે લોકો વિમાન મંત્રાલયથી વાત કરીને ચીન, જાપાન, હોંગકોંગ, બેન્કોક, દક્ષિણ કોરિયાથી આવતા યાત્રા માટે આરટી – પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરીશું.
ભારત આનારા કોવિડ પોઝિટિવ લોકોને કરવામાં આવશે કોરન્ટાઈન
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારત આનારા યાત્રીને તાવ થયો હોય અને તેમણે કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી કોરન્ટાઈન કરવાનો આદેશ જારી કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવનારા આંતરાષ્ટ્રીય યાત્રિયો માટે વર્તમાન સ્વાસ્થ્ય સ્થિતિની જાહેરાત કરવા માટે એર સુવિધા ફોર્મ ભરવું ફરજિયાત હશે.