બાન્દ્રાથી જોધપુર જઇ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસના ૧૩ કોચ પાટા પરથી ઉતર્યા

રાજસ્થાનના પાલી પાસે સોમવારે વહેલી સવારે બાદ્રા ટર્મિનલ જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસના ૧૩ ડબ્બા પાટા પરથી ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નહોતી. આ બનાવની જાણ થતાં રેલવે વિભાગે એક રાહત ટ્રેન મોકલીને રાહત કામગીરી શરૂ કરી હતી.

રાજસ્થાનના પાલીમાં બાંદ્રા ટર્મિનસ જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ( બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ )ના ૧૧ ડબ્બા સોમવારે સવારે પાટા પરથી ઉતરી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત મોડીરાતે ૦૩:૨૭ કલાકે થયો હતો. ઉત્તર પશ્ચિમ રેલવેના CPROએ જણાવ્યું કે જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમાદ્રા સેક્શન પર બોગી પાટા પરથી ઉતરી ગઈ. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાન – માલના નુકસાનની કોઈ માહિતી નથી. સીપીઆરઓએ કહ્યું કે ઉત્તર પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ રેલવેના જયપુર મુખ્યાલયમાં આ મામલાની દેખરેખ રાખી રહ્યા છે. ઘણા ઉચ્ચ અધિકારીઓ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *