ભારતનો સ્ટાર ક્રિકેટર રિષભ પંતને વધુ સારવાર માટે મુંબઈ ખસેડાશે

ભારતનો સ્ટાર ક્રિકેટર રિષભ પંત રોડ અકસ્માતનો ભોગ બન્યો હતો. રૂરકી પાસે કાર અકસ્માતમાં તેને ગંભીર ઈજા થઈ હતી. હાલમાં તેની સારવાર દેહરાદૂનની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે, પરંતુ હવે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ( DDCA )એ મોટો નિર્ણય લીધો છે. DDCA પંતને સારવાર માટે મુંબઈ લઈ જશે. તે જ સમયે, તેના લીગામેંટની ઇજાની સારવાર કરવામાં આવશે.

વધુ સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવશે

 

DDCA ના ડાયરેક્ટર શયાન શર્માએ કહ્યું – ક્રિકેટર રિષભ પંતને વધુ સારવાર માટે આજે મુંબઈ ખસેડવામાં આવશે. ૩૦ ડિસેમ્બરે કાર અકસ્માત બાદ પંતની દેહરાદૂનની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. BCCIએ માહિતી આપી હતી કે પંતના માથામાં બે કટ છે. તેના જમણા ઘૂંટણમાં લીગામેંટ ફાટી ગયું છે અને તેના જમણા કાંડા, પગની ઘૂંટી, પગના અંગૂઠામાં પણ ઈજાઓ છે. તેમજ તેની પીઠ પર ઘર્ષણની ઈજા છે. પંતની હાલત અત્યારે ખતરાની બહાર છે, પરંતુ હવે બીસીસીઆઈએ તેની સારી સારવાર કરાવવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડ કપને જોતા બીસીસીઆઈ પંતને જલદી ફિટ જોવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *