૨૬ મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ આજથી ૧૬ જાન્યુઆરી કર્ણાટકના હુબલીનાં જોડિયાં શહેરોમાં યોજાશે

૨૬ મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ આજથી ૧૬ જાન્યુઆરી દરમિયાન કર્ણાટકના હુબલી, ધારવાડનાં જોડિયાં શહેરોમાં યોજાશે. નવી દિલ્હીમાં યુવા બાબતોઅને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું કે આ વર્ષના યુવા મહોત્સવની વિષયવસ્તુ ‘વિકાસિત યુવા, વિકાસિત ભારત’ છે. તેમણે માહિતી આપીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના દિવસે રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કરશે.

આ કાર્યક્રમમાં દેશભરમાંથી સાડા સાત હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લે તેવી અપેક્ષા છે. ઉત્સવમાં સાંસ્કૃતિક પાસાંઓ અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓને આવરી લેતા અન્ય સંખ્યાબંધ કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, યુવાનોને સાંસ્કૃતિક પ્રતિભા અને આકાંક્ષાઓની અભિવ્યક્તિ માટે તક મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *