ભારત દરિયાની ૬,૦૦૦ મીટર ઊંડાઈમાં માણસોને મોકલશે

ભારત સમુદ્રયાન મિશન હેઠળ ખનિજો જેવા સંસાધનોની શોધ માટે એક અભિયાન શરૂ કરી રહ્યું છે.

ભારત સમુદ્રયાન મિશન હેઠળ ખનિજો જેવા સંસાધનોની શોધ માટે એક અભિયાન શરૂ કરી રહ્યું છે. જેમાં ત્રણ લોકો દરિયામાં ૬,૦૦૦ મીટરની ઉંડાઈમાં જઈને સંશોધન કરશે.

પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે સબમર્સિબલ મત્સ્ય ૬,૦૦૦ ત્રણ લોકોને દરિયામાં લઈ જશે. આ મિશન આગામી ૩ વર્ષમાં સાકાર થવાની આશા છે. તેમણે માહિતી આપી હતી કે સમુદ્રયાનને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજી, ચેન્નાઈ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તે સામાન્ય કામગીરીમાં ૧૨ કલાક અને કટોકટીની સ્થિતિમાં માનવ સુરક્ષા માટે ૯૬ કલાક ચલાવવાની ક્ષમતા ધરાવે છે. ડૉ. સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૨૧ અને ૨૦૨૨ માં તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ડીપ ઓશન મિશનનો ઉલ્લેખ કર્યો હતો.

કેન્દ્રએ પાંચ વર્ષ માટે ડીપ ઓશન મિશન માટે રૂ. ૪,૦૦૦ કરોડથી વધુનું બજેટ મંજૂર કર્યું હતું. ઝુંબેશનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારના ‘ન્યૂ ઈન્ડિયા’ના વિઝનને પ્રોત્સાહન આપવાનો છે જે વિકાસના દસ મુખ્ય પરિમાણોમાંના એક તરીકે વાદળી અર્થવ્યવસ્થાને પ્રકાશિત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *