રાષ્ટ્રપતિ આજે નવી દિલ્લી ખાતે ૧૧ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૪ જાન્યુઆરીના રોજ બાળ પુરસ્કાર એવોર્ડ વિજેતાઓ સાથે વાતચીત કરશે

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજે નવી દિલ્લી વિજ્ઞાનભવન ખાતે ૧૧ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરશે. આ પુરસ્કાર ૫ વર્ષથી ૧૮ વર્ષના બાળકોને ૬ શ્રેણીમાં ઉત્કૃટ પ્રદર્શન માટે આપવામાં આવે છે. જેમાં કલા, સંસ્કૃતિ, બહાદુરી, નવાચાર, શિક્ષા, સમાજસેવા અને રમત – ગમત સામેલ છે. દરેક વિજેતાને એક પદક, એક લાખ રુપિયા અને સર્ટિફિકેટ આપવામાં આવશે. પુરસ્કાર મેળવનારાઓમાં ૧૧ રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશના ૫ છોકરા અને ૬ છોકરીઓ સામેલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૪ જાન્યુઆરીના રોજ બાળ પુરસ્કાર એવોર્ડ વિજેતાઓ સાથે વાતચીત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *