ભારત પર્વને સામાન્ય જનતા માટે આજથી બપોરથી રાતના ૧૦ વાગ્યા સુધી ખુલ્લો મુકાશે

૨૬ થી શરૂ થયેલ ભારત પર્વને સામાન્ય જનતા માટે આજથી બપોરથી રાતના ૧૦ વાગ્યા સુધી ખુલ્લો મુકવામાં આવશે.

૬ દિવસ સુધી યોજાનારા આ પર્વનો ગઈકાલે દિલ્હીના લાલ કિલ્લા ખાતે આરંભ થયો છે. આ કાર્યક્રમનું ઉદઘાટન કેન્દ્રીય અને પર્યટન મંત્રી જી.કિશન રેડ્ડી દ્વારા કરાયું હતું. આ પ્રસંગે દેશના વિવિધ રાજ્યોની વાનગીઓ અને સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિભાગીય સાંસ્કૃતિક કેન્દ્રો તથા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સાંસ્કૃતિક મંડળો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન, હસ્તકલા સ્ટોલ, ફુડ કોર્ટની પણ સ્થાપના કરવામાં આવી છે.

આ કાર્યક્રમ દરમિયાન દેખો અપના દેશ, એક ભારત શ્રેષ્ઠ ભારત, જી – ૨૦ અને મિશન લાઈફનું બ્રાન્ડિંગ અને પ્રમોશન પણ હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *