ગાંધી નિર્વાણ દિને રાજ્યપાલ અને રાજભવન પરિવારે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ બે મિનિટનું મૌન પાળીને પૂજ્ય ગાંધીજી અને દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એ વીર શહીદોની સ્મૃતિમાં પૂજ્ય ગાંધીજીના નિર્વાણ દિને આજે સવારે ૧૧:૦૦ કલાકે રાજભવન પરિસરમાં મૌન પાળવામાં આવ્યું હતું.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી સાથે રાજભવન પરિવારના તમામ સભ્યોએ પણ બે મિનિટનું મૌન પાળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *