માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે કહ્યું છે કે ભારત સાથે તેમના દેશની ભાગીદારી પરસ્પર વિશ્વાસ પર રચાયેલી છે અને છેલ્લા ચાર વર્ષો દરમિયાન આદરથી નવી પ્રેરણા મળી છે. તેમણે એમ પણ કહ્યું કે પડકારો કે આપત્તિઓના સમયમાં ભારત ખૂબ જ વિશ્વાસપાત્ર અને મૂલ્યવાન મિત્ર રહ્યું છે. તેમણે ભારતના ૭૪ મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધારુબારુગ ખાતે આયોજિત સત્તાવાર કાર્યક્રમમાં તેમના સંબોધન દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
સમારોહમાં બોલતા, રાષ્ટ્રપતિ સોલિહે માલદીવના લોકો વતી રાષ્ટ્રપતિ મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતના મિત્ર લોકોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આપી. વર્ષોથી બંને દેશો વચ્ચેની મિત્રતાનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ સોલિહે કહ્યું કે માલદીવના વિકાસ પ્રયાસોમાં ભારતનું યોગદાન અને કોવિડ – ૧૯ સામે લડવામાં મદદ નોંધપાત્ર રહી છે.