ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દેશમાં ૨૫ સ્થળોએ નશા મુક્ત કેન્દ્રોનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન

નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દેશમાં ૨૫  જેટલા સ્થળોએ નશા મુક્ત કેન્દ્રોનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ ૨૫ કેન્દ્રો પૈકી એક કેન્દ્ર  મહેસાણામાં જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત થયું છે. મહેસાણા જિલ્લા કલેકટર એમ. નાગરાજન અને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. મહેશ કાપડિયાએ આ કેન્દ્ર ખુલ્લું મૂક્યું હતું.

આ પ્રસંગે જિલ્લાના માનસિક રોગ નિષ્ણાત ડૉ. અનિમેષ પટેલે જણાવ્યું હતું કે, આ સેન્ટરને કારણે વધુ દર્દીઓ  સેવાનો લાભ મેળવી શકશે. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, મુખ્ય આરોગ્ય અધિકારી સહિત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *