કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મિશન અંત્યોદય સર્વે ૨૦૨૨ – ૨૩ નું ઉદ્ઘાટન કર્યું

ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહે આજે નવી દિલ્હીમાં મિશન અંત્યોદય સર્વે (MAS) ૨૦૨૨ – ૨૩ નું ઉદ્ઘાટન કર્યું. ગ્રામીણ વિકાસ વિભાગ વર્ષ ૨૦૧૭ – ૧૮ થી દેશની તમામ ગ્રામ પંચાયતોમાં મિશન અંત્યોદય સર્વે કરી રહ્યું છે. આ સર્વેનો હેતુ વિવિધ યોજનાઓના સંકલન દ્વારા લોકોના જીવન અને આજીવિકાને માપી શકાય તેવા પરિણામોમાં પરિવર્તિત કરવાનો છે.

નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, દેશભરની ગ્રામ પંચાયતોમાં વાર્ષિક સર્વેક્ષણ એ મિશન અંત્યોદય માળખાનું મહત્ત્વનું પાસું છે. સર્વેક્ષણનો ઉદ્દેશ્ય ગ્રામ પંચાયત વિકાસ યોજના માટે સહભાગી આયોજનની પ્રક્રિયાને ટેકો આપવાનો છે જે સેવા વિતરણમાં સુધારો કરશે, નાગરિકતા વધારશે અને સ્થાનિક સ્તરે શાસનમાં સુધારો કરશે. તેમણે કહ્યું કે, આ સર્વે દેશના વિકાસની જીવાદોરી બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *