બોલિવુડના પ્રખ્યાત એક્ટર અને જાણીતા ડાયરેક્ટર સતીશ કૌશિકનું ૯૭ વર્ષની વયે નિધન થયું છે. જે અંગે તેમની નજીકના મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને આ દુઃખદ સમાચારની જાણકારી આપી છે. તેઓએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પણ મે સપનામાં પણ વિચાર્યું ન હોતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ લખીશ.’
અનુપમ ખેરે લખ્યું કે ‘૪૫ વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. Life will NEVER be the same without you SATISH ! ઓમ શાંતિ. તમને જણાવી દઇએ કે, સતીશ કૌશિકે ૬૭ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. અનુપમ ખેરે પોતાના મિત્રને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, સતીશ, તારા વિના જીવન સરખું નહીં ચાલે.