કાશ્મીર મુદ્દે પહેલીવાર પાકિસ્તાનના વિદેશમંત્રીએ મોટું નિવેદન

કાશ્મીર મુદ્દે પહેલીવાર પાકિસ્તાનના વિદેશમંત્રીએ મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્ર (UN)માં કાશ્મીર પર એક મોટું સત્ય સ્વીકાર્યું છે. બિલાવલે સ્વીકાર્યું છે કે, તેમનો દેશ યુએનમાં કાશ્મીર મુદ્દાને મુખ્ય મુદ્દો બનાવવા અને તેના તરફ સંગઠનનું ધ્યાન દોરવામાં નિષ્ફળ રહ્યો છે. બિલાવલે એ પણ સ્વીકાર્યું કે, તેમના દેશના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે, પરંતુ કાશ્મીર પર ભારતના તમામ રાજદ્વારી પ્રયાસો યુએનમાં સફળ રહ્યા છે. બિલાવલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત સ્વીકારી હતી. બિલાવલે પોતાના નિવેદનમાં પહેલીવાર ભારતને મિત્ર ગણાવ્યું.

પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘તમને એ જાણવાની જરૂર છે કે, કાશ્મીર મુદ્દાને યુએનના એજન્ડા તરીકે આગળ વધારવા અને તેના તરફ સંગઠનનું ધ્યાન દોરવામાં અમારે ઘણા પડકારોનો સામનો કરવો પડશે.’ આ પછી બિલાવલ થોડુ ડઘાઈ ગયા બાદ ભારતનો ઉલ્લેખ કર્યો અને તેમને મિત્ર તરીકે સંબોધ્યો. બિલાવલે કહ્યું, ‘અમારો મિત્ર, પાડોશી દેશ (ભારત) કાશ્મીર વિવાદિત સરહદ હોવાનો વ્યાપક વિરોધ કરે છે. તે યુએનમાં આ હકીકતને પણ આગળ ધપાવે છે કે, કાશ્મીર વિવાદિત મુદ્દો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *