પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે બપોરે ૧૨:૦૦ વાગ્યે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન CBIની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે બપોરે ૧૨:૦૦ વાગ્યે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન CBIની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે.
કાર્યક્રમ દરમિયાન, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને સીબીઆઈના શ્રેષ્ઠ તપાસ અધિકારીઓ, સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનારાઓ માટે એક ઇન્વેસ્ટિચર સમારોહ યોજવામાં આવશે જેમાં પ્રધાનમંત્રી પુરસ્કાર મેળવનારાઓને મેડલ એનાયત કરશે. પ્રધાનમંત્રી શિલોંગ, પુણે અને નાગપુર ખાતે સીબીઆઈના નવનિર્મિત કાર્યાલય સંકુલનું ઉદ્ઘાટન પણ કરશે. તેઓ સીબીઆઈના ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન વર્ષને ચિહ્નિત કરતી પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્મારક સિક્કો બહાર પાડશે. તેઓ સીબીઆઈનું ટ્વીટર હેન્ડલ પણ લોન્ચ કરશે.
કેન્દ્રીય તપાસ બ્યુરોની સ્થાપના 1લી એપ્રિલ, ૧૯૬૩ ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી.