અમદાવાદ માં શહેરીજનો પર રખાશે CCTV થી નજર, ગુના અટકાવવા માટે કામગીરી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનાખોરી અટકાવવા પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. શહેરના ૨૦૦ સ્થળોએ કેમેરા ફીટ કરીને ૮૦ લાખ શહેરીજનો પર ચાંપતી નજર રખાશે.

અમદાવાદ શહેરમાં ગુનાખોરી સતત વધી રહી છે. શહેરમાં લૂંટારુ, તસ્કરો તેમજ સ્નેચરોને પોલીસનો કોઈ ડર ના હોય તેવું લાગી રહ્યું છે. રાહદારીઓને છરી બતાવીને લૂંટી લેવાના તેમજ રાતે ચોરી થવાની સંખ્યાબંધ ઘટનાઓ અમદાવાદમાં ઘટી રહી છે. ગુનેગારોને રોકવા માટે પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ એક્શન પ્લાન બનાવ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચે પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. ગુનાખોરી અટકાવવા માટે શહેરના ૨૦૦ સ્થળ પર CCTV કેમેરા લગાવવામાં આવશે. જેના દ્વારા ૮૦ લાખ શહેરીજનો પર ચાંપતી નજર રાખવામાં આવશે. એડવાન્સ સિસ્ટમ સાથે ગુના અટકાવવા માટે કામગીરી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *