દેવાંશી શાહને ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૯ નાં કાપડ તથા મહિલા બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને OSDનાં રૂપે નિયુક્ત કરવામાં આવ્યું હતું તેમનું વેતન સ્કેલ આશરે ( ૧,૨૩,૧૦૦ – ૨,૧૫,૯૦૦ ) હતું. મૂળ ગુજરાતની દેવાંશીની નિયુક્તિ પદનું ચાર્જ સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષના સમયગાળા માટે કરવામાં આવી હતી. દેવાંશીને કપડાં મંત્રાલયમાં મંત્રીની સાથે કો-ટર્મિનસનાં ધોરણે નિમણૂક કરવામાં આવી હતી. દેવાંશી એટલી સ્મૃતિ ઈરાનીની નજીકી હતી જ્યારે જ્યારે ઈરાનીએ જૂલાઈ ૨૦૨૧ માં કપડાં મંત્રાલયનો ચાર્જ ત્યજ્યો ત્યારે દેવાંશીને ૩ વર્ષ, ૨ મહિના અને ૭ દિવસો માટે WCD મંત્રીનાં OSDનાં રૂપમાં નિમણૂક કરવામાં આવી હતી.
૨ OSDને બરતરફ કરવા મુદે કોંગ્રેસએ ઉઠાવ્યાં સવાલ
OSDનાં કાર્યાલયમાં કપાતનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી. જો કે આ પગલું આશ્ચર્યજનક છે. દેવાંશી જ નહીં પિયૂષ ગોયલનાં OSD અનુજ ગુપ્તાનાં કાર્યકાળ સમયની પહેલા જ સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. જો કે કોંગ્રેસે આ મુદે પ્રતિક્રિયા આપતાં નેતા સુપ્રિયા શ્રીનેતે ૨ OSDનાં કરારની સમાપ્તિ અંગે પ્રશ્નો ઉઠાવ્યાં. તેમણે પૂછ્યું કે OSD સ્મૃતિ ઈરાની અને પીયૂણ ગોયલને શા માટે બરતરફ કરવામાં આવ્યું. તેમણે શું ખોટું કામ કર્યું છે? શું તે સંભવત: ભ્રષ્ટ લોકો હોઈ શકે છે. અમારે સત્ય શા માટે ન જાણવું જોઈએ ?
દેવાંશીએ કરી સ્પષ્ટતા,શ્રીનેટને આપ્યો જવાબ
શ્રીનેટનાં ટ્વીટનો જવાબ આપતાં OSD દેવાંશી શાહનાં કથિત એક ટ્વિટર હેન્ડલે એક ટ્વિટ કરીને આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેમને બરતરફ નથી કરવામાં આવ્યું અને તેમણે પોતાની નોકરીથી રાજીનામું આપવાનાં વિકલ્પની પસંદગી કરી હતી. તેમણે શ્રીનેટથી જાહેર ધોરણે તેમના ભવિષ્યને ખરાબ ન કરવા માટે કહ્યું. તેમણે ટ્વિટમાં લખ્યું કે’ મેં વડીલોની ધ્યાન રાખવા માટે પારિવારિક જવાબદારીઓનાં કારણે રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. મને બરતરફ નથી કરવામાં આવ્યું. આ મેમ સ્મૃતિ ઈરાની સાથે કામ કરવા અને પોતાના દેશની સેવા કરવાનું સમ્માન રહ્યું છે. હું તમને વિનંતી કરું છું કે તમે મારા ભવિષ્યને જાહેર રૂપે ખરાબ ન કરો.માત્ર એક પ્રોફેશનલ તરીકે ઈરાની સાથે હિસાબ બરાબર કરવા માટે.’