સુદાનની સેના અને અર્ધલશ્કરી દળો દ્વારા ૭૨ કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હોવા છતાં રાજધાની ખાર્તુમમાં અથડામણના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગઈકાલે રાજધાનીમાં ભારે લડાઈ થઈ હતી. અગાઉ, સુદાનની સેનાએ જાહેરાત કરી હતી કે તેઓ ત્રણ દિવસના યુદ્ધવિરામ માટે સંમત થયા છે જેથી લોકો ઈદની ઉજવણી કરી શકે અને માનવતાવાદી સેવાઓ પૂરી પાડી શકાય. એક નિવેદનમાં, સુદાનની સેનાએ જણાવ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે બળવાખોરો યુદ્ધવિરામની તમામ શરતોનું પાલન કરશે અને કોઈપણ લશ્કરી કાર્યવાહીને અટકાવશે. સુદાનના અર્ધલશ્કરી દળોએ પણ માનવતાના ધોરણે ૭૨ કલાકનો યુદ્ધવિરામ જાહેર કર્યો હતો.
દરમિયાન, ખાર્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટના શટડાઉન વચ્ચે ઘણા EU સભ્ય દેશો અને યુએસએ આગામી દિવસોમાં તેમના નાગરિકો માટે સ્થળાંતર યોજનાઓ પર વિચારણા કરી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ગઈકાલે જણાવ્યું હતું કે ૬ દિવસના સંઘર્ષ દરમિયાન ૪૧૩ લોકો માર્યા ગયા છે અને ૩,૫૦૦ થી વધુ ઘાયલ થયા છે.