પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે

આગામી ૧૨ મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, તેઓ મહાત્મા મંદિર ખાતે વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૨ મે ના રોજ એક દિવસ ગુજરાતની મુલાકાત આવવાના છે. PM મોદી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે તેમજ ગાંધીનગરમાં વિવિધ કંપનીઓના CEO અને યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને પણ મળશે તેમજ શિક્ષક સંઘના કાર્યક્રમમાં હાજરી આપશે.

વડાપ્રધાન મોદી ૧૨ મે ના રોજ મહાત્મા મંદિરમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેમજ સાંજે ગિફ્ટ સિટી પાસે અન્ય એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે તેમજ બપોરે ૦૨:૦૦ કલાક રાજ ભવનમાં અલગ અલગ બેઠકો કરશે. વધુમાં તમને જણાવી દઈએ કે, ૧૯૪૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૪૨,૦૦૦ આવાસોનું લોકાર્પણ કરાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *