દર વર્ષે રૂ. ૨૫,૦૦૦ તેજસ્વી વિધાર્થીઓને અપાશે સ્કોલરશીપ

રાજ્ય સરકારે નવી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના જાહેર કરી છે જે યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જેમાં જે મેરીટમાં આવશે તેને સ્કોલરશીપ મળશે.

યોજનામાં સમાવેશ થતા તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે ૨૫,૦૦૦ સ્કોલરશીપ અપાશે તેમજ ધોરણ ૯ થી ૧૦ સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹ ૨૦,૦૦૦ મળશે અને ધોરણ ૧૧ થી ૧૨ સુધીના અભ્યાસક્રમ દરમિયાન વાર્ષિક ૨૫,૦૦૦ ની સ્કોલરશીપ આપવામાં આવશે. સ્કોલરશીપની રકમ ડીબીટીના માધ્યમથી સીધી બેંક ખાતામાં જમા થશે તેમજ ધોરણ ૧ થી ૮ માં સરકારી અથવા અનુદાનિત શાળામા સળંગ અભ્યાસ કરવો હોવો જરૂરૂ છે.

ધોરણ ૧ થી ૮ માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ- ૮ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, (RTE Act, ૨૦૦૯) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે ૬ થી ૧૪ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના ૨૫ % ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઇ હેઠળ સ્વનિર્ભ૨ શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ તેવા બંને પ્રકારના વિદ્યાર્થીઓના વાલીની આવક જ્ઞાન સાધના કોલરશીપ પરીક્ષા વખતે આરટીઈ એક્ટ, ૨૦૦૯ ની કલમ ૧૨ (૧) (સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિધાર્થીઓને મેરિટના ધોરણે રાજ્યમાં કાર્ય૨ત તમામ બોર્ડ સાથે સંલગ્ન રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તે માટે ગુજરાત રાજ્યના આવા તેજસ્વી વિદ્યાર્થીઓને કોલરશીપ આપશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *