RBI ૨,000 નોટ્સનો નિર્ણય:- કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સામાન્ય જનતા કે ગરીબ માણસ 2000ની નોટ રાખતો નથી, ભ્રષ્ટાચાર અને તેમની પાસે જંગી સંપત્તિ રાખનારાઓ માટે આ મુશ્કેલીનો વિષય
RBIએ શુક્રવારે મોટો નિર્ણય લેતા રૂ.૨,000ની નોટને ચલણમાંથી બંધ કરવાની જાહેરાત કરી છે. આ તરફ આ નોટો ૩૦ સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે. આ અંગે હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ સરકારનું સમર્થન કરતા કહ્યું કે, ૨૦૧૮ થી ૨,000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું છે. આ નોટબંધી નથી, નોટ પાછી ખેંચવાની છે. જે લોકોએ કાળું નાણું ભેગું કર્યું છે તેમને આ ચોક્કસપણે પેટમાં દુ:ખી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે, સામાન્ય લોકો ૨,000 રૂપિયાની નોટો સાથે રાખતા નથી, આ સામાન્ય લોકો માટે સમૃદ્ધિનો સંદેશ છે. કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા નિવેદન અંગે અશ્વિની ચૌબેનું કહેવું છે કે, ભ્રષ્ટાચાર અને તેમની પાસે જંગી સંપત્તિ રાખનારાઓ માટે આ મુશ્કેલીનો વિષય છે. સામાન્ય જનતા ગરીબ માણસ ૨,૦૦૦ ની નોટ રાખતો નથી.
આરબીઆઈના નોટબંધીના નિર્ણય પર કોંગ્રેસે કહ્યું છે કે, જ્યારે નોટો બંધ કરવી જ હતી તો પછી તેને શા માટે લાવવામાં આવી. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓના નેતાઓ મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે તો ભાજપના મંત્રીઓ અને નેતાઓ તેને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ગણાવી રહ્યા છે.