ભારતે વૈશ્વિક અર્થતંત્રમાં તેની મજબૂત હાજરી નોંધાવી છે: અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં તેની મજબૂત હાજરી નોંધાવી છે અને હવે ભારત વિશ્વનો પાંચમો સૌથી મોટો અર્થતંત્ર દેશ બની ગયો છે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરતી વખતે આ વાત કહી હતી. કોન્ફરન્સની થીમ છે- નવ વર્ષ: સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ. કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ.એલ. મુરુગન પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમણે કહ્યું કે હવે વિકાસ અને સામાજિક ક્ષેત્રને લગતી દરેક યોજનાઓને નવી રીતે ધ્યાનમાં લેવામાં આવે છે જેનાથી લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે વર્તમાન સરકારે સર્વસમાવેશક વિકાસ, સામાજિક ન્યાય અને ગરીબોના સશક્તિકરણ પર ભાર મૂક્યો છે.

આ અવસર પર માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું કે, સરકારે છેલ્લા નવ વર્ષમાં જન કલ્યાણ માટે ઘણા પગલાં લીધા છે. તેમણે કહ્યું કે સરકાર વિકાસ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના સૌથી વંચિત વર્ગ સુધી પહોંચાડવા માટે સતત કામ કરી રહી છે, જેનાથી લોકોનું જીવન સરળ બને છે. શ્રી ઠાકુરે એમ પણ કહ્યું કે સરકારે ગરીબોને ૩.૫ કરોડ પાકાં મકાનો આપ્યા છે, જે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, અગાઉની સરકારમાં ભ્રષ્ટાચાર વ્યાપક હતો પરંતુ હવે શાસનમાં પારદર્શિતા અને જવાબદારી જોવા મળી શકે છે. શ્રી ઠાકુરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વને કારણે તાજેતરના વર્ષોમાં વિશ્વ મંચ પર ભારતનું કદ વધ્યું છે. આ કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદી, માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રા, અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને ઋષભ શેટ્ટી અને બોક્સર નિખત ઝરીનનો સમાવેશ થાય છે. કોન્ફરન્સમાં ત્રણ સેશન રાખવામાં આવ્યા છે. તેમની થીમ ભારત તરફ પ્રગતિ, લોકોનો વિશ્વાસ અને યુવા શક્તિ: ભારતની ઉર્જા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *