આજે પીએમ મોદી નવા સંસદ ભવન ઉદ્ગાટન સમારોહનાં દ્વિતીય ચરણમાં ૭૫ રૂપિયાનાં નવા સિક્કાનું લોકાર્પણ કરશે ત્યારે જાણો આ સિક્કાની ખાસિયતો.
દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયાં બાદ દેશને નવા સંસદ ભવનની ભેટ મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિધિ-વિધાનની સાથે સંસદમાં સેંગોલની સ્થાપના કરી છે અને નવું સંસદ ભવન દેશને અર્પિત કર્યું છે. આ સમારોહનાં દ્વિતીય ચરણમાં આજે પીએમ મોદી ૭૫ રૂપિયાનાં સિક્કાનું પણ લોકાર્પણ કરશે. આ સિક્કાનું વજન ૩૩ ગ્રામ છે.
૭૫ રૂપિયાનાં આ સિક્કામાં ૫૦ % ચાંદી, ૪૦ % કૉપર અને ૫ – ૫ % નિકલ-જિંકનાં મિશ્રણથી તૈયાર થયેલ આ સિક્કાનો વ્યાસ ૪૪ મિલીમીટર હશે. કિનારીઓ સહિત ૨૦૦ સેરેશન આકારનાં ગોળાકાર સિક્કાઓ વિશે નાણામંત્રાલયે જણાવ્યું હતું કે સિક્કાનું નિર્માણ ઉપર જણાવેલ મિશ્રણને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૭૫ રૂપિયાનાં જે સિક્કાઓ બહાર પાડશે તેના પર નવા સંસદ ભવનનું ચિત્ર પણ હશે અને એ ચિત્રની નીચે ૨૦૨૩ પણ લખેલું હશે. આ સિક્કા પર અશોક સ્તંભ અંકિત હશે અને હિંદીમાં સંસદ સંકુલ, અંગ્રેજીમાં પાર્લિયામેન્ટ કોમ્પ્લેક્ષ લખવામાં આવશે. ૭૫ રૂપિયાનાં આ સિક્કાઓ પર હિંદીમાં ભારત અને અંગ્રેજી ભાષામાં INDIA લખેલું હશે.