ધોરણ-૧૨ ના પરિણામ અંગે મોટા સમાચાર

ગુજરાતમાં ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ધોરણ ૧૨ના રિઝલ્ટની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડની ધોરણ ૧૨ ની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૩૧ મે ના રોજ સવારે ૦૮:૦૦ વાગ્યે જાહેર કરવામાં આવશે. સવારના ૦૮:૦૦ વાગ્યાથી વિદ્યાર્થીઓ GSEB ની વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે.

ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાઓ લેવાઈ હતી, ત્યારે ધોરણ ૧૦ નું પરિણામ જાહેર થયા બાદ હવે ગુજરાતમાં ધોરણ ૧૨ ના પરીક્ષાર્થીઓ પોતાના પરીણામની રાહ જોઈને બેઠા છે. ત્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આવતીકાલે એટલે કે ૩૧ મે ના રોજ ધોરણ ૧૨ નું પરિણામ જાહેર કરવામાં આવશે. બુધવારે સવારે ૦૮:૦૦ વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ ૧૨ નું પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યભરના ૪.૫૦ લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *