રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની સુરિનામ યાત્રાનો આજે અંતિમ દિવસ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ત્રિદિવસીય સુરીનામ યાત્રાનો આજે અંતિમ દિવસ છે. રાષ્ટ્રપતિ લાલરોગ સંગ્રહાલય, આર્ય દેવકર મંદિર અને વિષ્ણુ મંદિરના દર્શન કરશે.  

૧૯૦૨ ના ગેવલીન હેલ્ધન સ્મારક પર એક સમારોહનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સુરીનામમાં તેમનું સામુદાયિક સ્વાગત પણ કરવામાં આવશે. ત્યારબાદ તેઓ બીજી યાત્રા માટે બેલગ્રેડ રવાના થશે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ  ​​સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોષી સાથે દ્વિપક્ષીય અને પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. બંને દેશો વચ્ચે આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે ત્રણ એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમાં વર્ષ ૨૦૨૩-૨૦૨૭ દરમિયાન કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સહકાર માટે સંયુક્ત કાર્ય યોજનાનો સમાવેશ થાય છે. ભારતીય ફાર્માકોપીયા ધોરણોને માન્યતા આપવા અને તબીબી ઉત્પાદનોના નિયમનના ક્ષેત્રમાં સહકાર માટે સુરીનામના આરોગ્ય મંત્રાલય સાથેના એમઓયુનો પણ સમાવેશ થાય છે.સુરીનામની ત્રણ દિવસની મુલાકાતે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોષીએ સ્વાગત કર્યું હતું. તેઓને સુરીનામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા. વિેદેશ મંત્રાલયે રાષ્ટ્રપતિની સુરીનામ યાત્રાને સફળ ગણાવતા જણાવ્યું કે  બંને દેશના રાષ્ટ્રપતિએ દ્રીપક્ષીય સંબંધોની ચર્ચા કરી. આ દરમિયાન રાજનૈતિક, આર્થિક અને સામાજિક સંબંધોને મજબૂત કરવા પર ભાર આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *