ગુજરાત માટે બે દિવસ ‘અતિભારે’

વાવાઝોડા મુદ્દે સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. જેમાં વાવાઝોડું ગુજરાતથી દૂર રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

સ્કાયમેટ દ્વારા વ્યક્ત કરાયેલી સંભાવના મુજબ વાવાઝોડું ગુજરાત  તરફ આવે તો કરાંચી બાજુ જવાની સંભાવના જોવા મળી રહી છે. તથા વાવાઝોડું ગુજરાત  તરફ નહીં આવે તો ઓમાન તરફ ફંટાઈ જશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે વાવાઝોડું ફંટાયા બાદ પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેની પ્રતિકૂળ અસર જોવા મળશે. આ અસરને પગલે આગામી તા. ૧૧ અને ૧૨ જૂનના રોજ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકી શકે છે. બીજી બાજુ કચ્છ અને પશ્વિમ સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન આવે તેવી શકયતા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *