સતત બીજા દિવસે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે સાંજનાં સુમારે અમદાવાદ શહેરમાં એકાએક વરસાદ વરસવાનું શરૂ થવા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી.
અમદાવાદમાં બીજા દિવસે પણવરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. ત્યારે બપોર બાદ એકાએક વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જેમાં વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી.હાઈવે, સિંધુ ભવન રો઼ડ તેમજ માનસી સર્કલ, પ્રહલાદનગર, સરખેજ તેમજ ગોતામાં વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા શહેરીજનોએ કંઈક અંશે બફારાથી રાહત મેળવી હતી.
વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી ૨૪ કલાક રાજ્યમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહેશે. તેમજ આવતીકાલે છુટા છવાયા વરસાદની સંભાવનાં છે. ત્યારે ઉ. ગુજરાત અને મ. ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદ પડ્યો છે.