લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદો પર ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

અમદાવાદમાં રહેતા અલગ અલગ રાજ્યના સ્ત્રી-પુરૂષ વચ્ચે સંબંધ બંધાયા બાદ સ્ત્રીએ ફરિયાદ નોંધાવી હતી, કોર્ટે કહ્યું બંન્ને પાત્ર પુખ્ત વયના હોવાથી કલમ ૩૭૬ હેઠળ ફરિયાદ નોંધી ન શકાય.

લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદો પર ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે. જેમાં હાઈકોર્ટે અવલોકન કાઢ્યો છે કે, પુખ્તવયના બંન્ને પાત્રો વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હોય તો તેને દુષ્કર્મ માની શકાય નહીં તેમજ બંન્ને પાત્ર પુખ્ત વયના હોવાથી કલમ ૩૭૬ હેઠળ ફરિયાદ નોંધી ન શકાય. શારિરીક સંબંધ બંધાય અને લગ્ન ન થાય તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધી શકાય.

હાઈકોર્ટે નું કહેવું છે કે છે કે, તમે પુખ્તવયના હોય તો લગ્નની લાલચે સરેન્ડર ન કરી શકો અત્રે તમને જણાવીએ કે, અમદાવાદમાં રહેતા અલગ અલગ રાજ્યના સ્ત્રી-પુરૂષ વચ્ચે સંબંધ બંધાયા બાદ સ્ત્રીએ ફરિયાદ નોંધાવી હતી. લગ્ન સહિત લોભામણી લાલચો આપી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી વખત પ્રેમમાં રહ્યાં બાદ મહિલાએ ફરી લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *