રશિયાએ કાળા સમુદ્ર દ્વારા યુક્રેનને અનાજની નિકાસ કરવાના કરારને રદ કર્યો

રશિયાએ જાહેરાત કરી છે કે, તે કાળા સાગર મારફતે યુક્રેનમાં અનાજ નિકાસ કરવા સંબંઘિત સૌદામાં ભાગીદારી નહી કરે.

રશિયાએ જાહેરાત કરી છે કે, તે કાળા સાગર મારફતે યુક્રેનમાં અનાજ નિકાસ કરવા સંબંઘિત સૌદામાં ભાગીદારી નહી કરે. ક્રેમલિનના પ્રવક્તાએ જણાવ્યું કે, રશિયા સંબંધિત કાલા સાગર કરારની કેટલીક બાબતો હજુ સુધી લાગુ કરવામા આવી નથી.વધુમાં તેમણે કહ્યું કે, રશિયાની માંગો પૂરી થયા બાદ તે આનાજ સોદામાં ફરી ભાગીદાર બની શકશે. રશિયાના પૂલ પર થયેલા વિસ્ફોટક હુમલા બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું. રશિયાએ આ હુમલાને યુક્રેનનો ડ્રોન હુમલો ગણાવ્યો હતો. ક્રેમલિને કહ્યું કે, આ હુમલાને અને અનાજ સૌદાને કોઈ જ સંબંધ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *