અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ એપ્રિલ અને જૂનના પોલિસી ચક્રમાં પણ વ્યાજ દરોને વિરામ પર રાખ્યા હતા, હાલમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો રેપો રેટ ૬.૫૦ % પર રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ એક મોટો નિર્ણય કર્યો છે. વાત જાણે એમ છે કે, RBIની મોનેટરી પોલિસી કમિટીએ સતત ત્રીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં RBIનો રેપો રેટ ૬.૫૦ % પર રહેશે. અગાઉ RBIએ એપ્રિલ અને જૂનના પોલિસી ચક્રમાં પણ વ્યાજ દરોને વિરામ પર રાખ્યા હતા.
રેપો રેટમાં છેલ્લો ફેરફાર ફેબ્રુઆરી ૨૦૨૩ માં જોવા મળ્યો હતો. તે સમયે RBIએ ૦.૨૫ %નો વધારો કર્યો હતો. RBIએ મે ૨૦૨૨ થી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી વ્યાજ દરોમાં ૨.૫૦ %નો વધારો કર્યો છે. જો કે, નિષ્ણાતો કહે છે કે, RBI આ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવાના મૂડમાં નથી. શક્ય છે કે, સેન્ટ્રલ MPC આવતા વર્ષના પહેલા ૬ મહિનામાં વ્યાજ દરોમાં વધારો કરી શકે.
હકીકતમાં દેશમાં મોંઘવારી RBI માટે સૌથી મોટી સમસ્યા બની રહી છે. ઘણા પોલ્સ અને અંદાજો અનુસાર જુલાઇ મહિનામાં છૂટક ફુગાવો ૬.૫ %થી ૬.૭૦ %ની વચ્ચે રહી શકે છે. મે મહિનામાં રિટેલ મોંઘવારી દર ૪.૨૫ % હતો અને જૂન મહિનામાં તે વધીને ૪.૮૦ % થયો હતો, જે આ વર્ષની સૌથી ઊંચી હોવાનું પણ કહેવાય છે. આવી સ્થિતિમાં RBI આરબીઆઈ સામે સૌથી મોટો પડકાર એ છે કે, આગામી મહિનાઓ માટે RBI દ્વારા કયા પ્રકારના અંદાજિત ફુગાવાના આંકડા રજૂ કરવામાં આવશે. કારણ કે રિઝર્વ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલા અગાઉના આંકડા સંપૂર્ણપણે પડી ભાંગ્યા છે.
જૂન મહિનામાં ઓછા વરસાદને કારણે અને તે પછી દેશના કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ અને અન્ય ભાગોમાં ખૂબ ઓછા વરસાદને કારણે દેશમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને ટામેટાંના ભાવ સામાન્ય લોકોના ખિસ્સા પર સૌથી વધુ ફટકો પડ્યો છે. આ જ કારણ છે કે જુલાઈમાં છૂટક મોંઘવારી ખૂબ ઊંચી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.