ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન ૩ સાંજે ૦૬:૦૪ કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ભાગમાં ઉતરશે તેવી અપેક્ષા.
આજે ભારત ચંદ્ર પર ત્રિરંગો ફરકાવવા જઈ રહ્યું છે. સમગ્ર વિશ્વની નજર ભારતના ચંદ્રયાન-૩ મિશન પર છે.
ભારત ઈતિહાસ રચવાથી માત્ર થોડા કલાકો દૂર છે. ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન ૩ સાંજે ૦૬:૦૪ કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ભાગમાં ઉતરશે તેવી અપેક્ષા છે. આ આશા વધી રહી છે કારણ કે ચંદ્ર મિશન પર અપડેટ આપતી વખતે, ISROએ કહ્યું છે કે ચંદ્રયાન ૩ મિશન શેડ્યૂલ મુજબ ચાલી રહ્યું છે.