સુપ્રિયા સુલે: અજિત પવાર NCP ના વરિષ્ઠ નેતા

સુપ્રિયા સુલેનું કોંગ્રેસ અને ઉદ્ધવ સેનાનું ટેન્શન વધારતું નિવેદન

NCP નેતા અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ મોટો દાવો કર્યો છે. સુપ્રિયા સુલેએ કહ્યું કે NCP માં કોઈ મતભેદ નથી. એટલું જ નહીં, સુલેએ કહ્યું કે અજિત પવાર પાર્ટીના વરિષ્ઠ નેતા છે, તેમણે ફક્ત અલગ રસ્તો અપનાવ્યો છે.

સુપ્રિયા સુલે કાર્યક્રમમાં હાજરી આપવા પુણે પહોંચી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, NCP માં કોઈ મતભેદ નથી. અમારા પક્ષના કેટલાક નેતાઓએ અલગ રસ્તો અપનાવ્યો છે. અમે આ અંગે વિધાનસભા અધ્યક્ષને પણ ફરિયાદ કરી છે. અજિત પવાર અમારી પાર્ટીના વરિષ્ઠ નેતા છે, જેમણે અલગ રસ્તો અપનાવ્યો છે. શરદ પવાર અમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને જયંત પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે. સુપ્રિયા સુલેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે NCP પ્રમુખ શરદ પવાર ભત્રીજા અજિત પવારના બળવા બાદ પાર્ટીને ફરીથી બનાવવાના પડકાર સામે લડી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *