આજે મન કી બાત કાર્યક્રમ થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો કરશે રજૂ

પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી આજે ૧૧:૦૦ વાગે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સામે પોતાના વિચારો રજૂ કરશે.

કાર્યક્રમ આકાશવાળી અને દૂરદર્શનના સંપૂર્ણ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણીની વેબ સાઈટ અને ન્યુઝ ઓન AIR મોબાઈલ એપ પર પણ જોવા મળશે. દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય અને સૂચના અને પ્રસારણ મંત્રાલયની YOUTUBE ચેનલો પર પણ મન કી બાત કાર્યક્રમનું સીધુ પ્રસારણ કરવામાં આવશે. હિન્દીના પ્રસારણના પછી આકાશવાળી દ્વારા ક્ષેત્રીય ભાષાઓમાં પણ પ્રસારણ થશે.

રવિવારે રાત્રે ૦૮:૦૦ વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી મન કીબાત કાર્યક્રમના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઈટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *